147 રથયાત્રાના અમદાવાદમાં દિવસે 1100 થી વધારે પોલીસ કર્મી, 1500 થી વધારે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે
અમદાવાદમાં 147ની રથયાત્રા નિકળવાની છે. તે તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા 1100 પોલીસ કર્મી, 3ડી મેપિગ, એઆઈ, 1500 થી વધારે સીસીટીવી દ્વારા રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ તરીકે દેખાશે.તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં 7 જુલાઈઅ જગન્નાથ મંદિરની 147ની રથયાત્રા નિકળવાની છે. તેનો લાભ લેવા માટે અમદાવાદાના લોકો પણ નહી પણ સમગ્ર દેશ અને વિદેશથી લોકો આ રથયાત્રાને જોવા અને દર્શન કરવામાં આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રાના દર્શન કરે છે. તે ભાગ રૂપે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની અસુવિધાના થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.અમદાવાદમાં રથયાત્રાના દિવસે 1500 થી વધારે પોલીસ કર્મી ખડે પગે રહેશે. અને 1500થી વધારે સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. અને 3ડી મેપિગ દ્વારા દરેક રસ્તા ઉપર દેખરેખ રાખવામાં આવશે. અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા એઆઈની પણ મદદ લેવામાં આવશે. અને મોટા ભાગના પોલીસ જનવાનોના જોડે પોકેટ કેમેરો લગાવામાં આવશે. જેથી રથયાત્રાના નાનામાં નાની ગતિવીધી પર નજર રાખવામાં આવે. અને જ સંવેદનશીલ વિસ્તારમાં છે. તેના ઉપર ખાસ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ દેખાશે. તેને પોલીસ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર : ભરત ઠાકોર