0
0
Read Time:55 Second
પાટણમાં હારીજના મામલતદારે કચેરી પરથી નીચે પડતુ મુકી આત્મહત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું, કારણ અકબંધ
પાટણમાં હારીજની મામલતદાર કચેરી પરથી નીચે પડતું મુકી મામલતદાર વી.ઓ. પટેલે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે, જ્યારે આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું છે. રાધનપુરના DySP ડી.ડી. ચૌધરીએ કહ્યું, “મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જોકે અમે તપાસ શરૂ કરી છે.” પાટણના કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યુ છે, મામલતદારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેમના વતન દિયોદરમાં અંતિમવિધિ કરાશે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર