1
0
Read Time:54 Second
સુરતમાં મધ્યપ્રદેશની બે પિતરાઈ બહેનોએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો, હાથ પર બ્લેડના ઘા જોવા મળ્યા સુરતના અલથાણની ઝાડીઓમાંથી દુલ્હનની જેમ તૈયાર થયેલી મધ્યપ્રદેશની નીલમ વર્મા અને રોશની વર્મા નામની બે પિતરાઇ બહેનો ગળાફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવી છે. ACP ઝેડ.આર. દેસાઈએ કહ્યું, “બંને મૃતદેહોના હાથ ઉપર બ્લેડના નિશાન જોવા મળ્યા છે, પરિવારની પૂછપરછમાં આપઘાતનું કારણ પારિવારિક ઝઘડો હોવાનું જાણવા મળ્યું છે.” પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ હાથ ધરી છે.
ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર