0
0
Read Time:55 Second
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)ના અમલીકરણનું નોટિફિકેશન જાહેર કર્યુ
કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા (સંશોધન) અધિનિયમના અમલીકરણ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું. દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા સીએએને મંજૂરી આપવામાં આવી હતી. સીએએ હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા પ્રતાડિત ગેર મુસ્લિમ પ્રવાસીઓ પૈકી હિન્દુઓ, શીખો, જૈનો, બૌદ્ધ, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય રાષ્ટ્રીયતા આપવામાં આવશે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર