0
0
Read Time:43 Second
ધોરણ 9 થી 12ના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે. પહેલા આ સેવા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મળતી હતી. જે વિદ્યાર્થીઓ શાળાથી પાંચ કિમીથી વધારે દૂર રહેતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા અપાશે. આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે. જેનાથી શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.
રિપોર્ટર : રાહુલ ચાવડા