0
0
Read Time:42 Second
જામનગરમાં આવેલા 11 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતો જાહેરનામું જારી કરાયો છે. જામનગરના 1 પિરોટન ટાપુ પર માનવ વસ્તી રહે છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેથી પ્રવાસીઓને પિરોટન ટાપુ આવવા-જવા પૂર્વ મંજૂરી લેવી પડશે. આ જાહેરનામાંનો ભંગ કરનારને દંડ થશે. આ જાહેરનામું 13 મે 2024 સુધી અમલમાં રહેશે.
રિપોર્ટર : રાહુલ ચાવડા