1
0
Read Time:50 Second
અરવિંદ કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. કેન્દ્રીય એજન્સીએ ગઈકાલે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાન ખાતેથી ધરપકડ કરી હતી. આ પહેલા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી ધરપકડને પડકારતી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર