Read Time:54 Second
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રેલી યોજવામાં આવી , લોકસભાની ઉમેદવારી રદ કરવા કરી માંગરાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદનના વિરોધમાં અમદાવાદમાં 1 હજારથી વધુ ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી. સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે.
સમાજના આગેવાન શિલ્પાબાએ કહ્યું, “રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જૌહર કરવા પણ તૈયાર छे.”
રિપોર્ટર રાકેશ પરમાર
![](https://gujaratprimetimenews.com/wp-content/uploads/2024/02/IMG-20240208-WA0019.jpg)