1
0
Read Time:49 Second
અમદાવાદ ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એસટીની નવી 301 બસોનું લોકાર્પણ કરાવ્યું
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી શનિવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એસટી વિભાગની નવી 301 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. એસટીના સ્ટાફ અને ડ્રાઈવર-કંડક્ટર પાસે આ નવી બસોનું લોકાર્પણ કરાવાયું છે. નડાબેટ અને બેટ દ્વારકા રૂટ પર પણ નવી બસો શરૂ કરાઈ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યાં.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર