1
0
Read Time:54 Second
વડોદરામાં સાંસદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવનારા કોંગ્રેસના કાર્યકરને પોલીસ પૂછપરછ બાદ મુક્ત કરાયો વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવનારા કોંગ્રેસના કાર્યકર હેરી ઓડને પોલીસ પૂછપરછ બાદ મુક્ત કરાયો. કોંગ્રેસના કાર્યકર હેરી ઓડે કહ્યું, “મારો અંતર આત્મા જાગ્યો એટલે મેં બેનર લગાવ્યા છે, ભ્રષ્ટાચાર થશે તો હું વિરોધ કરીશ. કોંગ્રેસ ટિકિટ આપશે તો હું રંજનબેનની સામે ચૂંટણી પણ લડીશ.” વડોદરામાં વિવિધ સોસાયટીઓમાં ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખૈર નહીં’ના પોસ્ટર લાગ્યા હતા.
અહેવાલ રાકેશ પરમાર