0
0
Read Time:58 Second
સુરેન્દ્રનગરમાં 129 કિલોગ્રામ ચાંદીના લૂંટ કેસમાં ₹40.87 લાખના મુદ્દામાલ સાથે વડોદરાથી 3 ઇસમો ઝડપાયા સુરેન્દ્રનગરમાં 129 કિલોગ્રામ ચાંદીના લૂંટ કેસમાં વડોદરા પોલીસે ₹40.87 લાખના મુદ્દામાલ સાથે સંજય રાજપૂત, ઇરફાન માટલીવાલા અને આયેશા માટલીવાલાની ધરપકડ કરી છે. જોઇન્ટ સીપી મનોજ નિનામાએ કહ્યું, “આરોપી અને મુદ્દામાલ સુરેન્દ્રનગર પોલીસને સોંપાયો છે.” પોલીસે વડોદરાના હરણી રોડ પર રીક્ષામાંથી ચાંદીનો જથ્થો ઝડપી ઇસમોની પૂછપરછ કરતા 4 શખ્સો સુરેન્દ્રનગરમાં થયેલી લૂંટનો મુદ્દામાલ વેચવા આપી ગયા હોવાનું સામે આવ્યું છે
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર