1
0
Read Time:51 Second
જૂનાગઢમાં કોંગ્રેસ સામે ફરિયાદ નોંધાઇ જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. 19 માર્ચે વંથલીમાં મંજૂરી વગર કોંગ્રેસે સભા યોજી હતી. વંથલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખે કલેક્ટર, ચૂંટણીપંચને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સભા અને રેલીનું આયોજન કર્યું હતું. તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા વંથલી આવ્યા ત્યારે કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર