1
0
Read Time:58 Second
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના આદેશ બાદ ગુજરાતના 31 ડિસ્ટ્રીક્ટ જજની બદલી થઈ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના આદેશ બાદ ગુજરાતના 31 ડિસ્ટ્રીક્ટ જજની બદલી કરાઈ છે. અમદાવાદના ડિસ્ટ્રીક્ટ જજ અંબરીશકુમાર લાલજીભાઈ વ્યાસને ભુજ ડિસ્ટ્રીક્ટ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વસાણીની સુરત, જામનગરના પ્રિન્સિપલ જજ એસ.કે. બક્ષીની પાલનપુર ખાતે બદલી કરાઈ છે. મોરબીના ડિસ્ટ્રીક્ટ જજ પિનાકિન જોશીની પોરબંદર અને ભાવનગરના ડિસ્ટ્રીક્ટ જજ એલ.એસ. પીરજાદાની સુરેન્દ્રનગર ખાતે બદલી કરાઈ છે.
ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર