2
0
Read Time:51 Second
હું સેહવાગ છું લાકડાતોડ બેટિંગ કરીશ, 26-0 નહીં થવા દઇએ: કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી
વડોદરામાં ‘જાતિ જનગણના કેમ?’ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, “જાતિ જનગણના થવી જોઇએ, જેથી જાતિઓની સાચી વસ્તી બહાર આવે અને તે પ્રમાણે બજેટમાં એમની ફાળવણી થાય.” તેઓએ ઉમેર્યું, ગુજરાતમાં કોંગ્રેસની સારી બેઠકો આવશે. 26-0 નહીં થવા દઈએ. કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપમાં જવાને લઈ તેમણે કહ્યું, જેને જવું હતું એ તો ગયા. હું છું ને સેહવાગ… હું લાકડાતોડ બેટિંગ કરીશ.”
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર